મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને કરાઇ હત્યા


SHARE







માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર આડેધડ ફાયરિંગ કરીને કરાઈ હત્યા

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર અજાણ્યા શખ્સ દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા આધેડ તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવતા હતા જોકે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો જેથી આ બનાવની તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવ સ્થળે તથા હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત રાખી દીધો હતો અને આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તથા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે ગમે ત્યારે હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, મારામારી વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન મોરબી જિલ્લાના માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમાર મોવર (51) નામના આધેડ સોમવારે મોડી સાંજે પોતે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેઓને છરા લાગ્યા હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે માળીયાની હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ લઈને આવ્યા હતા આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે તથા હોસ્પિટલે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વિગતો સામે આવી રહી છે વધુમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં હાલમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે અને સફીરભાઈ મુસાભાઈ મોવાર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને હાલના મૃતક હૈદરભાઈ સુમારભાઈ મોવર દ્વારા અંદાજે દોઢ વર્ષ પહેલા સફિરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જૂની અદાવતનો ખાર રાખીને આ ઘટના બની હોવાનો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News