હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE





મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા વૃદ્ધ કામ સબબ બાઈક લઈને જઈ રહ્યા હતા.ત્યારે વાહન સ્લીપ થતા માથા અને શરીરે ઇજા થઈ હતી.જેથી મોરબી અને બાદ વધુ સારવારમાં રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજત હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના ખારચિયા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના વૃદ્ધ તા.૨૮-૫ ના તેમનું બાઇક લઈને ખારચિયા ગામેથી આમરણ ગામ તરફ જઈ રહ્યા હતા.અને ત્યાં મોબાઈલ રીપેરીંગ કરાવવા જતા સમયે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હોય તેઓ માથા અને શરીરે ઇજા પામ્યા હતા.જેથી તેમને મોરબીની આયુષ હોસ્પિટલે અને બાદમાં હાલત નાજુક જણાતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજયુ હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના લખધીરપુર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા કિશોરભાઈ નરસીભાઈ ડાભી (૩૪) રહે.લખધીરપુર તેમજ ભરતભાઈ ચકુભાઈ કટેશીયા (૪૩) રહે.મહેન્દ્રપરા મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથક દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી. મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા નિઝામભાઈ અલાઉદીનભાઈ ભટ્ટીને મારામારીના બનાવવામાં ઈજા પહોંચી હોય સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબી વીસીપરામાં રહેતા શબ્બીરભાઈ અબ્દુલભાઈ મોવર (૨૭) તથા રૂકશાનાબેન શબ્બીરભાઈ (૨૩) ને ઘર નજીક પાડોશી સાથે ઝઘડા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીકથી બાઈક લઈને જઈ રહેલ હરેશભાઈ કિશોરભાઈ દુબલ (૫૦) રહે.નિરવ પાર્ક શ્યામ પાર્ક પાસે પંચાસર રોડ મોરબીના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા હરેશભાઈને માથા અને જમણા હાથે ઇજાઓ થઈ હોય અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતરર રોડ રંગપર ગામ પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારની શીતલ અરૂણભાઇ મુનિયા નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા સીડી ઉપરથી પડી જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.




Latest News