મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા વૃદ્ધ કામ સબબ બાઈક લઈને જઈ રહ્યા હતા.ત્યારે વાહન સ્લીપ થતા માથા અને શરીરે ઇજા થઈ હતી.જેથી મોરબી અને બાદ વધુ સારવારમાં રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજત હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના ખારચિયા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના વૃદ્ધ તા.૨૮-૫ ના તેમનું બાઇક લઈને ખારચિયા ગામેથી આમરણ ગામ તરફ જઈ રહ્યા હતા.અને ત્યાં મોબાઈલ રીપેરીંગ કરાવવા જતા સમયે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હોય તેઓ માથા અને શરીરે ઇજા પામ્યા હતા.જેથી તેમને મોરબીની આયુષ હોસ્પિટલે અને બાદમાં હાલત નાજુક જણાતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજયુ હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના લખધીરપુર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા કિશોરભાઈ નરસીભાઈ ડાભી (૩૪) રહે.લખધીરપુર તેમજ ભરતભાઈ ચકુભાઈ કટેશીયા (૪૩) રહે.મહેન્દ્રપરા મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથક દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી. મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા નિઝામભાઈ અલાઉદીનભાઈ ભટ્ટીને મારામારીના બનાવવામાં ઈજા પહોંચી હોય સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબી વીસીપરામાં રહેતા શબ્બીરભાઈ અબ્દુલભાઈ મોવર (૨૭) તથા રૂકશાનાબેન શબ્બીરભાઈ (૨૩) ને ઘર નજીક પાડોશી સાથે ઝઘડા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીકથી બાઈક લઈને જઈ રહેલ હરેશભાઈ કિશોરભાઈ દુબલ (૫૦) રહે.નિરવ પાર્ક શ્યામ પાર્ક પાસે પંચાસર રોડ મોરબીના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા હરેશભાઈને માથા અને જમણા હાથે ઇજાઓ થઈ હોય અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતરર રોડ રંગપર ગામ પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારની શીતલ અરૂણભાઇ મુનિયા નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા સીડી ઉપરથી પડી જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.






Latest News