મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે
SHARE
મોરબી મહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતબા જાડેજા તેમજ ચૂંટાયેલા સભ્યો હજાર રહ્યા હતા. અને પંચાસર રોડ ઉપર આવેલ એસટીપી પ્લાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, "વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષો જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. માત્ર વૃક્ષો વાવવા પૂરતું નહીં, પરંતુ તેનું યોગ્ય જતન કરીને તેને ઉછેરવાની જવાબદારી પણ આપણા સૌની છે." આ તકે કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા .









