હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર


SHARE





પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર

રાજ્યના કૃષિકારો ખેતી અને બાગાયતી પાકોમાંથી મહત્તમ આવક મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક યુગમાં ખેતર પરના વિવિધ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં ખેત મજૂરો મળતા ઓછા થયા છે, જેના કારણે ખેતીના સમયસર થતા કાર્યો પર વ્યાપક અસર પડે છે. જગતના તાતને આધુનિક ટેકનોલોજી તરફ વાળવા માટે મોરબી જિલ્લામાં સરકારશ્રીની કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મીની ટ્રેક્ટર અને સાધનોમાં સહાયયોજના ક્રાંતિકારી સાબિત થઈ રહી છે.

મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખાતેદાર હોવાથી તેમની પાસે જમીન ધારકતા ઓછી છે. આર્થિક મર્યાદાઓના કારણે આ ખેડૂતો મોંઘા મશીનો ખરીદી શકતા ન હોવાથી કાં તો મોંઘા ભાડે સાધનો લાવવા પડતા અથવા મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.ત્યારે ખેડૂતોની માટે  વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. ૨૨૮.૧૨ લાખની માતબર રકમ મંજૂર કરીને જિલ્લાના કુલ ૨૫૧ પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક સાધનોની આપવામાં આવ્યા છે. આ સહાય અંતર્ગત જિલ્લામાં ૨૫૧ મીની ટ્રેક્ટર, ૧૭૩ કલ્ટીવેટર, ૭૮ રોટાવેટર અને ખેતીવાડીની ઉપજના પરિવહન માટે ૧ મીની ટ્રેલર મળીને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો  ફાળવવામાં આવ્યા છે.

સરકારના આ પ્રોત્સાહક પગલાંથી ખેડૂતો હવે નિયત સમયમર્યાદામાં ખેડ, વાવણી તેમજ લણણી જેવા મહત્વના કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી મોરબી જિલ્લાના ખેડૂતોનું આર્થિક જીવનધોરણ આવ્યું છે.  એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય યુવાનો માટે પૂરક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. આધુનિક કૃષિ ક્રાંતિ તરફ આગળ વધી રહેલો મોરબીનો ખેડૂત હવે સક્ષમ અને આત્મનિર્ભર બની રહ્યો છે.




Latest News