મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
Breaking news
Morbi Today

પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર


SHARE











પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર

રાજ્યના કૃષિકારો ખેતી અને બાગાયતી પાકોમાંથી મહત્તમ આવક મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક યુગમાં ખેતર પરના વિવિધ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં ખેત મજૂરો મળતા ઓછા થયા છે, જેના કારણે ખેતીના સમયસર થતા કાર્યો પર વ્યાપક અસર પડે છે. જગતના તાતને આધુનિક ટેકનોલોજી તરફ વાળવા માટે મોરબી જિલ્લામાં સરકારશ્રીની કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મીની ટ્રેક્ટર અને સાધનોમાં સહાયયોજના ક્રાંતિકારી સાબિત થઈ રહી છે.

મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખાતેદાર હોવાથી તેમની પાસે જમીન ધારકતા ઓછી છે. આર્થિક મર્યાદાઓના કારણે આ ખેડૂતો મોંઘા મશીનો ખરીદી શકતા ન હોવાથી કાં તો મોંઘા ભાડે સાધનો લાવવા પડતા અથવા મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.ત્યારે ખેડૂતોની માટે  વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. ૨૨૮.૧૨ લાખની માતબર રકમ મંજૂર કરીને જિલ્લાના કુલ ૨૫૧ પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક સાધનોની આપવામાં આવ્યા છે. આ સહાય અંતર્ગત જિલ્લામાં ૨૫૧ મીની ટ્રેક્ટર, ૧૭૩ કલ્ટીવેટર, ૭૮ રોટાવેટર અને ખેતીવાડીની ઉપજના પરિવહન માટે ૧ મીની ટ્રેલર મળીને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો  ફાળવવામાં આવ્યા છે.

સરકારના આ પ્રોત્સાહક પગલાંથી ખેડૂતો હવે નિયત સમયમર્યાદામાં ખેડ, વાવણી તેમજ લણણી જેવા મહત્વના કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી મોરબી જિલ્લાના ખેડૂતોનું આર્થિક જીવનધોરણ આવ્યું છે.  એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય યુવાનો માટે પૂરક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. આધુનિક કૃષિ ક્રાંતિ તરફ આગળ વધી રહેલો મોરબીનો ખેડૂત હવે સક્ષમ અને આત્મનિર્ભર બની રહ્યો છે.






Latest News