મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ


SHARE







મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તે રોડને આગામી ૮ દિવસ સુધી બંધ રાખવામા આવશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે જેથી ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટ્રોમવોટર લાઈન મેઈન રોડ પર નાખવાની હોવાથી રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી તા. ૭/0૬ થી ૧૪/0૬ (દિન-૮) સુધી બંધ રહેશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે જેથી મોરબીની જાહેર જનતાએ વૈક્લીપ રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News