મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે દ્વિ-દિવસીય ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ જ્ઞાનનો લાભ મેળવ્યો હતો. સેમિનારમાં જાણીતા વક્તા શૈલેષભાઈ સગપરિયા, ડૉ. પવન દ્વિવેદી, ધર્મેન્દ્રભાઈ કનાળા તથા ડૉ. ભદ્રાયુ વછરાજાની દ્વારા શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા આધુનિક શિક્ષણ પદ્ધતિઓ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વક્તાઓના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો શિક્ષકો માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયા હતા. સેમિનાર દરમિયાન શિક્ષકોએ વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ વર્ગખંડ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી કૌશલ્યો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન શિક્ષકોમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો આ સેમિનારે શિક્ષકોના વ્યાવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.






Latest News