મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ઘરેથી અપહરણ કરી જવામાં આવેલ છે.જે બાબતે ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે ઇસમો સામે ફરિયાદ નોંધીને અપ્હત થયેલ સગીરાને શોધવા આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીકના ધુતારી પાસે આવેલા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું તા.૪-૬ ના ૫ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલ છે. જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા કરણ અશોકભાઈ સારલા અને વેરશી જીતેશભાઈ દેગામા રહે.બંને મકનસર તાલુકો જીલ્લો મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ પોકસો સહિતની કલમો હેઠળ કરણ અને વેરશી વિરુદ્ધ દાખલ કરેલ છે જેની આગળની તપાસ પીએસઆઇ એમ.આર.સિંધવ ચલાવી રહ્યા છે.

ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિવારના હિતેશ બાબુભાઈ દેગામા નામના ૩૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાવા માટેનો પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તા.૫-૬  બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય તે અંગે નોંધ કરી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા પામેલા ઈમરાન જાફરખાન પઠાણ (૪૫) રહે.સરખેજ અમદાવાદને ઇજાઓ થઈ હોય ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News