મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ


SHARE











વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને ગાળો દેવાઈ હતી જે સંદર્ભે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી તે સહિતના પ્રશ્નોને લઈને આજે વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ કામગીરી બંધ કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી છે અને માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું હાલમાં પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે.

વાંકાનેર નગરપાલિકાની બાજુમાં આવેલી સોસાયટીમાં થોડા સમય પહેલા ભૂતિયા નળ કનેકશન કાપવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યાંના લોકો દ્વારા કર્મચારીઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી.આ ઉપરાંત સરફરાઝ મકવાણા નામના શખ્સે પાલિકા કચેરી ખાતે આવીને પાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને અશોક રાવલ નામના કર્મચારી દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે સરફરાઝ મકવાણાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આટલું જ નહીં પરંતુ પાલિકાના હદ વિસ્તારમાં ભૂતિયા નળ કનેકશન કાપવા માટે થઈને પોલીસ પાસેથી બંદોબસ્ત માંગવામાં આવ્યો છે તો પણ યેનકેન પ્રકારે પોલીસ બંદોબસ્ત પણ નગરપાલિકાના કર્મચારીઓને ફાળવવામાં આવેલ નથી જેથી કરીને રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા આજથી વાંકાનેર નગરપાલિકામાં હડતાલ કરવામાં આવી છે અને લાઇટ-પાણી, સફાઇ સહિતની કામગીરીને સદંતર બંધ કરવામાં આવી છે.વધુમાં પાલિકાના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિં આવે અને પાલિકાના કર્મચારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોકક્સ મુદ્દતની હડતાલ પાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે.






Latest News