મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં  સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા?


SHARE











મોરબી જીલ્લામાં  સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા? 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે આજે સી.આર. પાટિલની હાજરીમાં નવનિર્મિત શૈક્ષણિક સંકુલની લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્ર્મ પૂરો કરીને પરત ફરતા સમયે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આજે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશ મેરજા આ ને કિરીતસિંહ રાણા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજ્ય સભાનો સાંસદ દિનેશભાઇ અનાવાડીયાધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા ત્યારે સી.આર. પાટીલે લોકોને સંબોધતા કહ્યું હતું કે, પ્રજાપતિ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે જેથી કરીને ભાજપ દ્વારા આ સમાજને સત્તામાં અને સંગઠનમાં પ્રતિનિધિત્વ આપ્યું છે અને સરકાર પ્રજાપતિ સમાજના હિત માટે કાયમ તેની સાથે જ છે તેવી ખાતરી આપી હતી આ કાર્યક્ર્મ પૂરો કરીને સી.આર. પાટીલ સહિતના આગેવાનો પરત જવા માટે જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા અને ભાજપના અન્ય આગેવાનોને તેને નીચે પડતાં બચાવ્યા હતા






Latest News