મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે


SHARE











વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે

વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રસ્તો બનાવવા માટેની વિન્ડ ફાર્મ કુ. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમ છતાં પણ ગોચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તા બનાવવાની કામગીરી ચાલુ રાખવામા આવશે તો તેને રોકવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોરોષની લાગણી સાથે જણાવ્યુ છે

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતાં ઇબ્રાહીમભાઇ અમીભાઈ ખોરજિયા, હુસેનભાઈ હાજીભાઈ ખોરજિયા અને સલીમભાઈ તારમામદ બ્લોચ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અમરસર ગ્રામ પંચાયત હસ્તકની સર્વે નંબર-૧૦૫ વાળી ગોચરની જમીન ઉપર અનઅધિકૃત રીતે રસ્તો બનાવવાની કામગીરી હાલમાં પવન ચક્કી ઉભી કરનાર કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદેસર કરવામાં આવતી કામગીરીની રોકવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે

 તેમ છતાં પણ કામને રોકવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને હાલમાં રસ્તા બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે અગાઉ ગુજરાત હાઈકોર્ટ તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા ગોચરની જમીન ઉપર કોઈપણ પ્રકારની ગોચર સિવાની પ્રવૃતિ ન કરવા માટેના આદેશ કરવામાં આવેલ છે તેનો અનાદર થતો હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ગેરકાયદેસર રસ્તા બનાવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો સ્થાનિક અધિકારીઓ દ્વારા નક્કર કામગીરી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં કોર્ટની અંદર અરજી કરીને આ મુદ્દે દાદ માગવામાં આવશે તેવું અરજદારોપોતાની અરજીમાં જણાવ્યુ છે






Latest News