મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો


SHARE











માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો

માળિયા (મી) તાલુકામાં ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજિત પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પંચવટી(ખીરઈ) ખાતે યોજાયો હતો. નરેન્દ્રભાઈની શિક્ષક તરીકેની કારકિર્દી જામનગર જિલ્લામાંથી શરૂ થઈ હતી અને છેલ્લા ૧૪ વર્ષથી માળિયા તાલુકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. માળિયા તાલુકામાં માત્ર શિક્ષક તરીકે જ નહીં પણ માળિયા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તથા તાલુકા પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખના હોદ્દા ઉપર રહીને પણ હંમેશા શિક્ષકોને મદદરૂપ થતા રહ્યા હતા કાર્યક્રમમાં માળિયા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર મોટીબરાર પ્રા. શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રા. શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનું માળિયા તાલુકા શિક્ષક પરિવાર વતી તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી. ભવન માળિયા તેમજ માળિયા તા. પ્રા.શિ. સંઘ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, હસુભાઈ વરસડા, પી.વી. લાવડીયા, મોહનભાઈ કુવાડીયા, નરેન્દ્રભાઈ નિરંજની, વિનુભાઈ રાઠોડ, એમ.વી. લાવડીયા, ધીરૂભાઈ બકુત્રા અને માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યો, સી.આર.સી. મિત્રો, અને સંઘના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ નૈતિકભાઈએ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ખીરઈ તાલુકા શાળા પરિવારે ખાસ જાહેમત ઉઠાવી હતી.






Latest News