મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE





મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા દરમિયાન હાર્ટ અટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના નવલખી રોડ ઉપર ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર (50) નામ આધેડ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેઓને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને હાર્ટ અટેકથી તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક પલટી મારી જતાં ઇજા

માળીયા (મી)નો રહેવાસી રાજેશભાઈ હરિયારામ યાદવ (40) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે હતો ત્યારે ત્યાં ટ્રક પલટી મારી જવાના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના આમરણ હાઈવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે વાહનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જામનગરના રહેવાસી ભાવેશભાઈ છગનભાઈ શીલું (35) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ ઇજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News