મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા દરમિયાન હાર્ટ અટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના નવલખી રોડ ઉપર ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર (50) નામ આધેડ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેઓને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને હાર્ટ અટેકથી તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક પલટી મારી જતાં ઇજા

માળીયા (મી)નો રહેવાસી રાજેશભાઈ હરિયારામ યાદવ (40) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે હતો ત્યારે ત્યાં ટ્રક પલટી મારી જવાના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના આમરણ હાઈવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે વાહનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જામનગરના રહેવાસી ભાવેશભાઈ છગનભાઈ શીલું (35) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ ઇજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News