મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE

















મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી નવા એસ.ટી. બસ સ્ટેશનથી શ્રીનાથજી એસ.ટી. વોલ્વો એ.સી. બસને લીલી ઝંડી આપીને બસના નવા રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના પ્રવાસીઓની લાગણી અને માંગણી હતી કે શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થાન સુધી બસની સેવા મળી રહે. તેથી મોરબીના ધારાસભ્ય તરીકે મોરબીવાસીઓની માંગને વાચા આપીને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરતાં આ માંગને તાત્કાલીક સ્વીકારીને મોરબીથી નાથદ્વારા બસ ફાળવવામાં આવી છે આ બસ મોરબીથી દરરોજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૫.૦૦ વાગ્યે  શ્રીનાથજી પહોંચશે જેથી કરીને ભાવીકોને મંગળા આરતીના દર્શનનો પણ લ્હાવો મળી શકશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પાલીકા પ્રમખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઈ તથા નગરપાલીકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News