ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત


SHARE





મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત

મોરબી જિલ્લાના નારણકા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી હસમુખભાઈ છગનભાઈ કારોલિયાએ પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા હસમુખભાઈ પોતાના ફાર્મ પર ૫૦ જેટલી ગૌમાતાનું જતન કરી રહ્યા છે. તેઓ આ ગૌધનના છાણ અને ગૌમૂત્રના પવિત્ર સમન્વયથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા પ્રાકૃતિક કૃષિના ઘટકો જાતે તૈયાર કરીને પોતાની જમીનમાં વિવિધ પાક લઈ રહ્યા છે.

હાલમાં તેમણે પોતાના ખેતરમાં હળદર અને શેરડીનું વાવેતર કર્યું છે, એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ આ પાકોનું આયોજનબદ્ધ મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) કરીને બજારમાં સીધું વેચાણ કરી બમણી કમાણી કરી રહ્યા છે. આ હરિયાળી ક્રાંતિમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગનો પ્રોત્સાહક અભિગમ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સરકાર દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિના સંસાધનો વિકસાવવા માટે જરૂરી ટેન્ક, પંપ અને અન્ય અદ્યતન સાધનો વસાવવા હેતુસર રૂ. ૧,૦૦,૦૦૦ ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

આ સરકારી પીઠબળ અંગે ખુશી વ્યક્ત કરતા હસમુખભાઈ જણાવે છે કે, “સરકાર તરફથી મળેલી સાધન સહાયને કારણે અમારું ખેતીકામ ઘણું ઝડપી અને સરળ બન્યું છે, જેનાથી મોટો આર્થિક ફાયદો થયો છે. આ ઉપરાંત, સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાતા વિવિધ સેમિનાર, ક્ષેત્ર મુલાકાતો અને કૃષિ શિબિરોનો લાભ લઈને અમે નવીન તકનીકો શીખ્યા છીએ અને હવે ગામના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ નફો મેળવવાનું પ્રેરણાદાયી સમજ આપી રહ્યા છીએ.સરકારના કૃષિ કલ્યાણના આ અભિગમથી નારણકાના આ ખેડૂત જેવા મોરબી જિલ્લા અને સમગ્રે રાજ્યના અનેક આજે ખરા અર્થમાં સમૃદ્ધિના પંથે અગ્રેસર બન્યા છે.




Latest News