મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ


SHARE





મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ

જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ બને, જ્યારે પોતાના આનંદ સાથે કોઈના જીવનમાં પણ ખુશીની પળો ઉમેરી શકાય.આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે મોરબીની નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થી પનારા શ્યામ બેચરભાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરીને સમાજ સમક્ષ માનવતાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું હતુ. પોતાના સહાધ્યાયી મિત્રો સીસાંગીયા કલ્પ, પંચાસરા અમરસી, સોનગ્રા જીગ્નેશ, રાધુડીયા કિશન તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.જ્યાં વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતુ.તેમજ તેમની સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો.તેમની જીવનયાત્રાના અનુભવો સાંભળ્યા હતા અને વડિલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

આ મુલાકાત દરમિયાન એક હૃદયસ્પર્શી અનુભૂતિ સૌને થઈ કે ઘણા વડીલોને માત્ર ભોજનની જ નહીં, પરંતુ કોઈ પોતાના બનીને પ્રેમથી બે શબ્દ બોલે, તેમની વાત સાંભળે અને થોડો સમય તેમની સાથે વિતાવે તેની પણ એટલી જ તીવ્ર જરૂર હોય છે.વડીલોના ચહેરા પર ખીલેલું સ્મિત અને આંખોમાં ઝળહળતો પ્રેમ દરેકના હૃદયને સ્પર્શી ગયો.આ પ્રસંગ માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ સેવા, સંસ્કાર, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી સંદેશ બની રહ્યો.આજના યુગમાં જ્યાં જન્મદિવસની ઉજવણી મોટાભાગે મોજશોખ પૂરતી મર્યાદિત રહી જાય છે.ત્યાં આ સેવાના કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના આનંદનો હિસ્સો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યો છે.આ પ્રસંગે શિક્ષક રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, જન્મદિવસે મોજશોખ અને દેખાડા પાછળ ખર્ચ કરવાની જગ્યાએ જો દરેક વિદ્યાર્થી એક દિવસ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર કરે, તેમની લાગણીઓને સમજે અને પોતાની ક્ષમતા મુજબ સેવા કરે, તો એ જ જન્મદિવસની સૌથી મોટી અને યાદગાર ઉજવણી બની શકે છે.આ આયોજન માત્ર એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત રહ્યું નહીં, પરંતુ સમાજમાં સેવા, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો હતો. જો આજની યુવા પેઢી પોતાના જીવનના શુભ પ્રસંગોને આવા સેવાકાર્યો સાથે જોડે, તો સમાજમાં સંવેદના, કરુણા અને માનવતાની નવી દિશા ઉભી થઈ શકે.




Latest News