મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા મોરબીમાં અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું : નવી કલમ ઉમેરી તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

વર્તમાન સમયમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે તનાવ મુક્તિ માટે રાજ્યોગ અને ધ્યાનનું મહત્વ અનિવાર્ય બની જાય છે ત્યારે બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યા વિશ્વવિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવના પ્રસરે તે માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં તા. 16, 17 અને 18 જુલાઈના રોજ જુદા જુદા કાર્યક્રમો જુદી-જુદી સંસ્થાઓ સાથે જુદી જગ્યાયોજાયા હતા જેમાં નવયુગ કોલેજ, સિનિયર સિટીઝન, કન્યા છાત્રાલય, જુદીજુદી કંપની, શિશુ મંદિર, બાલવાટિકા, પોલીસ ઓફિસર, ડોકટર, વકીલો, મહાપાલિકા ઓફિસ, કલેકટર ઓફિસ વિગેરે જગ્યા ઉપર કાર્યક્રમ યોજાયા હતા અને બ્રહ્માકુમારીઝ મોરબીના ઇન્ચાર્જ બીકે અલકા દીદી, ઉમા દીદી, નિમિષા દીદી, જુલી દીદી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે અમદાવાદથી ભારતી દીદી, તેજલ દીદી, સ્વાતિબેન તેમજ બોમ્બેથી ઉજ્વલા દીદી અને સંતોષભાઈ વગેરે મોરબી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો, અધિકારીઓ, કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો વગેરેને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં પોતાના કર્મ, વ્યવહાર અને આદર્શને ઊંચા બનાવવા માટે થઈને પ્રેરણા આપી હતી






Latest News