મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE





મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

વર્તમાન સમયમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે તનાવ મુક્તિ માટે રાજ્યોગ અને ધ્યાનનું મહત્વ અનિવાર્ય બની જાય છે ત્યારે બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યા વિશ્વવિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવના પ્રસરે તે માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં તા. 16, 17 અને 18 જુલાઈના રોજ જુદા જુદા કાર્યક્રમો જુદી-જુદી સંસ્થાઓ સાથે જુદી જગ્યાયોજાયા હતા જેમાં નવયુગ કોલેજ, સિનિયર સિટીઝન, કન્યા છાત્રાલય, જુદીજુદી કંપની, શિશુ મંદિર, બાલવાટિકા, પોલીસ ઓફિસર, ડોકટર, વકીલો, મહાપાલિકા ઓફિસ, કલેકટર ઓફિસ વિગેરે જગ્યા ઉપર કાર્યક્રમ યોજાયા હતા અને બ્રહ્માકુમારીઝ મોરબીના ઇન્ચાર્જ બીકે અલકા દીદી, ઉમા દીદી, નિમિષા દીદી, જુલી દીદી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે અમદાવાદથી ભારતી દીદી, તેજલ દીદી, સ્વાતિબેન તેમજ બોમ્બેથી ઉજ્વલા દીદી અને સંતોષભાઈ વગેરે મોરબી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો, અધિકારીઓ, કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો વગેરેને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં પોતાના કર્મ, વ્યવહાર અને આદર્શને ઊંચા બનાવવા માટે થઈને પ્રેરણા આપી હતી




Latest News