મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું
SHARE
મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું
મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા શ્રાવણમાસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ રસોડું ચલાવવામાં આવ્યું હતું. જેમાં દરરોજ 20થી વધુ બહેનોએ જોડાઈને સેવા આપી હતી. અને દરરોજ અલગ-અલગ વાનગીઓ તૈયાર કરીને નવલખી રોડ, આવાસ વિસ્તાર, કામધેનું વિસ્તાર, ઘુનડા રોડ, લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો અને લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રાવણમાસમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓ સીરો આપવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20 જાન્યુઆરી 2027ના રોજ માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત હાલમાં ગણેશોત્સવ અને આગામી નવરાત્રિ દરમિયાન પણ દીકરીઓને લ્હાણી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.