મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી


SHARE













વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી

વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આજે ચૂંટણી છે જેના માટે નવા વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જો કે, વાતાવરણ ઠંડુગાર હોવાથી મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આ ચુંટણીમાં જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે પરંતુ વેપારી પેનલની ચાર બેઠક સામે એક જ ઉમેદવાર ભાજપને મળેલ છે જેથી ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે તો પણ ચૂંટણીનાં પરિણામમાં રસાકસી રહેશે તેવું ચરચરી રહ્યું છે  

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે અને ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને સવારે નવ વાગ્યાથી મતદાન પ્રક્રિયાને શરૂ કરવામાં આવેલ છે જો કે, હાલમાં વાતાવરણ ઠંડુગાર હોવાથી ચૂંટણીનાં મતદાન માટે મતદારોમાં પણ ટાઢોડું જોવા મળી રહયું છે અને મતદારોની હાલમાં સમાચાર લખાઈ રહયા છે ત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે જો કે, બપોરે મતદારોની સંખ્યા વધશે તેવું સૂત્રો કહી રહ્યા છે આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી પેનલમાં ચાર બેઠકો સામે ભાજપના  એક જ ઉમેદવાર છે માટે પરિણામ પહેલા જ આ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે 






Latest News