મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારોહ યોજાયો   


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારોહ યોજાયો   

મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા સમાજના ભામાશાઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ.કંઝારિયાના  પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો આ તકે કોરોનાના લીધે મૃત્યુ  પામેલ જ્ઞાતિજનોના આત્માને મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદમાં લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, ૫૫ વર્ષથી આ મંડળ કાર્યરત છે અને સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને ૫૫ થી ૬૦ હજારનો હોય છે. અત્યારે ૧૨૭ કુટુંબોને આ સહાય આપવામાં આવે છે આ ખર્ચને પહોંચી વળવા મંડળની એફડી આશરે ૨૯ લાખ છે તેમજ દર માસેદર વર્ષે ફળો આપતા ભામાશાઓ,  અનાજના રૂપમાં ફાળો આપતા આગેવાનો અને તહેવારોએ કીટમાં ફાળો આપતા દાતાઓનું સન્માન કરવામાં આવે છે જો કે, ગત વર્ષે કોરોનાને કારણે કાર્યક્રમ યોજાયેલ નહીં તેથી આ વર્ષે ૯૯ દાતાઓનું કુલહાર, શાલ અને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રવીણભાઈ પરમાર, મનજીભાઈ કંઝારિયા, દેવજીભાઈ ચાવડા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ડો. એન.એન. કંઝારિયા સહિતનાએ પ્રાસંગિક ઉદબોધ્ન કર્યું હતું આ કાર્યક્રમના પ્રમુખ  અને  મોરબી સતવારા નવગામના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ સર્વે ભામાશાઓટ્રસ્ટીઓ અને સેવા કરતી ટીમને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલમંત્રી પ્રવીણભાઈ પરમારઉપપ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયાટ્રસ્ટીઑ મણીભાઈ પરમાર,લખમણભાઇ કંઝારિયા, પ્રભુભાઈ નકુમમેરુભાઈ કંઝારિયા, મનજીભાઈ ડાભીલક્ષ્મણભાઈ પરમારકાનજીભાઈ ચાવડા, ડો.એન.એન. કંઝારિયા, હરિભાઈ કંઝારિયા, રમણીકભાઈ પરમાર વગેરેએ જેહમત ઉઠાવેલ હતી




Latest News