મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ


SHARE











મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ

મોરબીના વાલજીભાઈ ડાભી, લાલજીભાઈ ડાભી તથા હરેશભાઈ ડાભીના માતૃશ્રી સ્વ.માણેકબેન પ્રેમજીભાઈ ડાભીની શ્રધ્ધાંજલી નિમિતે અહીંના ઉમા હોલ રવાપર રોડ ખાતે ભકિતયોગ શિબિર તેમજ વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ દ્વારા આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા આવે છે. યોગ શિબિર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, બંધ, સુક્ષ્મ, વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં કુદરતી ઉપચાર અને આર્યુવેદિક ઔષધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક તેમજ કુદરતી ઉપચાર અને જીવન જીવવાની કળાનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.






Latest News