મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ


SHARE

















મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ

મોરબીના વાલજીભાઈ ડાભી, લાલજીભાઈ ડાભી તથા હરેશભાઈ ડાભીના માતૃશ્રી સ્વ.માણેકબેન પ્રેમજીભાઈ ડાભીની શ્રધ્ધાંજલી નિમિતે અહીંના ઉમા હોલ રવાપર રોડ ખાતે ભકિતયોગ શિબિર તેમજ વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ દ્વારા આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા આવે છે. યોગ શિબિર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, બંધ, સુક્ષ્મ, વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં કુદરતી ઉપચાર અને આર્યુવેદિક ઔષધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક તેમજ કુદરતી ઉપચાર અને જીવન જીવવાની કળાનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.




Latest News