મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી : નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પરત સોંપી દેવાનો ઓરેવા ગ્રુપનો નિર્ણય


SHARE











મોરબી : નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પરત સોંપી દેવાનો ઓરેવા ગ્રુપનો નિર્ણય

વર્ષો પહેલા સંપૂર્ણ રીતે બંધ હાલતમાં પડેલ મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલમાં આશરે એક કરોડ જેટલો ખર્ચો કરી વિશ્વ વિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.

અને વર્ષો સુધી તેનું ખૂબ જ યોગ્ય અને સુંદર સંચાલન પણ કર્યું હતું. રવિવાર તેમજ રજાનાં દિવસો દરમિયાન પણ લોકો ઝૂલતા પુલનો આનંદ માણી શકતા. એમ કહેવું જરાય અસ્થાને નથી કે 365 દિવસ ઝૂલતો પુલ લોકો માટે હરહંમેશ ખુલ્લો રહેતો કારણકે ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સ માટે ડેડીકેટેડ સિવિલ ની ટીમ રાખેલ હતી.

બે વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેક્ટર શ્રી ને પત્ર લખેલ હતો તે સમય દરમિયાન કલેકટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ યોજાઇ જેમાં ટેમ્પરરી રીપેરીંગ કરી અને ચાલુ કરવો અને એગ્રીમેન્ટ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન કરવાના મુદ્દા પર ચર્ચા થયેલ હતી.

બે ત્રણ માસની અંદર એગ્રીમેન્ટ મોકલવાનું હતું જેનો ડ્રાફ્ટ પણ ઓરેવા ગ્રુપ દ્વારા 31-1-2020 ના રોજ નગરપાલિકાને મોકલી આપવામાં આવેલ હતો, સમયાંતરે લેખિત રિમાઇન્ડરો પણ આપેલ હતા પરંતુ ઓરેવા ગ્રુપ ને હજી સુધી એગ્રીમેન્ટ મળેલ નથી.હાલ ઝૂલતા પુલને સંપૂર્ણ રિનોવેટ કરવો પડે તેમ છે આ રિનોવેટ કરવાની તૈયારી પણ ઓરેવા ગ્રુપે દર્શાવી હતી પરંતુ  નવું એગ્રીમેન્ટ ન મળવાને કારણે ઓરેવા ગ્રુપ આ રીનોવેશન કરી શકેલ નથી.

નવું એગ્રીમેન્ટ ન થાય તો વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપે આ ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો નિર્ણય લીધો છે.






Latest News