મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી આપીને કરી ઉત્તરાયણની ઉજવણી


SHARE

















લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી આપીને કરી ઉત્તરાયણની ઉજવણી

મોરબીમાં હરહંમેશ તમામ તહેવારોની સર્વધમ સમભાવના ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરી તહેવારોનું સાચા અર્થમાં સોહાર્દ દીપાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વની પણ આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદની ઉક્તિને ચરિતાર્થ કરી ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી તેમજ શુદ્ધ ઘીના અદડીય અને મીઠાઈ ભેટમાં આપીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને બીજાને આનંદ આપીને એ આનંદની પોતે ખુશી અનુભવીની ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ”અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે.” એમ ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી. કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી છે. જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા આ સેવાના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ ઉતરાયણના દિવસે દાન-ધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષામાં કહું તો "લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.




Latest News