મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ લેતાં પરણિતાનું મોત


SHARE











મોરબીના રવાપર ગામે કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ લેતાં પરણિતાનું મોત

મોરબીના રવાપર ગામે આવેલા ૧૫૮ ફલોરા એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ મહિલાને કેન્સરની બીમારી હોય અને બિમારીથી કંટાળી જઈને મહિલાએ ઘુનડા રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ લેતાં તેણીનું મોત નીપજ્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ધનંજયભાઈ શાંતિલાલ માકાસણા જાતે પટેલ (૩૧) રહે. સંગમ એપાર્ટમેન્ટ કેનાલ રોડ મોરબીએ જાહેર કર્યુ હતુ કે તેઓના ભાભી ધરતીબેન નિલેશભાઈ વિઠ્ઠલભાઈ માકાસણા જાતે પટેલ (ઉંમર વર્ષ ૪૦) રહે.૧૫૮-ફલોરા એપાર્ટમેન્ટ ઘુનજા રોડ રવાપર મોરબી કે જેઓને કેન્સરની બીમારી હોય અને કેન્સરની બીમારીથી કંટાળી જઇને તેમના ભાભી ધરતીબેન નિલેશભાઈ માકાસણાએ તા.૧૫ ના બપોરના ત્રણ વાગ્યા પહેલા કોઇપણ સમયે ઘુનડા રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.બનાવની જાણ થતાં એન.એસ.મેસવાણીયાએ આપઘાતના ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાતા મજૂર યુવાનનું મોત

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર-નાની કેનાલ રોડ શ્રીવીલા એપાર્ટમેન્ટમાં રહેતા દુર્લભજીભાઈ જેરામભાઈ ધમાસણાએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતુ કે, વાંકાનેરના ઢુવા ચોકડીથી સરતાનપરના રસ્તે આવેલા નિધિ માઈક્રો નામના કારખાનામાં લેબર કવાટરમાંષરહેતા અને મુળ મધ્યપ્રદેશના રામચંદ્ર ભાગીરથ માલવિયા જાતે આદિવાસી નામના ૩૭ વર્ષીય મજુર યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાસો ખાઇ લેતાં તેનું મોત નીપજયું છે.ડેડબોડીને પીએમ માટે ખસેડાતા વાંકાનેર તાલુકા પોલીસ મથક બીટ જમાદાર જે.જી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરતાં ખૂલ્યું હતું કે, મૃતક રામચંદ્ર માલવિયાના છૂટાછેડા થઈ ગયા હોય અને તેમના પત્નીએ અન્યત્ર લગ્ન પણ કરી લીધા છે. જ્યારે મૃતકને માતા-પિતા કે સંતાનમાં પણ કોઇ ન હોય એકલવાયા જીવનથી કંટાળી જઇને તેઓએ સંભવતઃ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજેલ છે અને હાલ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News