મોરબીના રવાપર ગામે કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ લેતાં પરણિતાનું મોત
મોરબીના લાયન્સનગરમાંથી ગુમ થયેલ આધેડની ભાળ મળી
SHARE









મોરબીના લાયન્સનગરમાંથી ગુમ થયેલ આધેડની ભાળ મળી
મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉંમર ૨૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આર્થિક ચિંતાના કારણે તેઓ ઘરેથી ઇંડા લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા નથી.જેથી પરેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ કિશોરભાઇ પરમારને શોધવા માટે તપાસ કરી રહી હતી.તે દરમિયાનમાં ગુમ થયેલા કિશોરભાઇ પરમાર ઘરે હાજર થયા હતા અને બાદમાં તેઓએ બીટ જમાદાર વી.ડી.મેતાને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાના લાધે ચોકીદારી સિવાય અન્ય કોઈ કામ કરી શકતા ન હોય તેમજ મગજમાં ખોટા વિચાર આવતા હોય તેઓની ભત્રીજી પારૂલબેન કેજે જોડિયા(ધ્રોલ) નજીકના મોટા વાગુદળ ગામે સાસરે હોય ત્યાં તેણીને મળવા જવાની ઈચ્છા થઈ હતી જેથી કરીને ઘરે કોઈને જાણ કર્યા વિના તેઓ ત્યાં ગયા હતા..! પોલીસે કિશોરભાઈનું ઉપરોક્ત નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રવાપર રોડ રામદેવપીરના મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર-બાઇક અકસ્માતમાં ઈજાઓ થતા સુરેશભાઇ મહાદેવભાઇ નકુમને સારવારમાં લઇ જવાયો હતો.જયારે મોરબી તાલુકાના ડાયમંડનગર (આમરણ) ગામે રહેતો ભાવિન રમેશભાઈ રાઠોડ નામનો ૩૫ વર્ષીય યુવાન હળવદ બાજુથી મોરબી તરફ કારમાં આવતો હતો ત્યારે ટોલનાકા પાસે કાર પલ્ટી જતાં ઇજાગ્રસ્ત ભાવિન રાઠોડને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
તરૂણ-યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ ૨૫ વારિયા આવાસ યોજના વિસ્તારમાં રહેતો મુખ્તાર યુસુફ સોહરવદી નામનો ૧૬ વર્ષીય યુવાન મોરબીના બાપાસીતારામ ચોક ભવાની સોડા પાસે હતો ત્યાં બાઈકચાલક સાથે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણા નજીક આવેલ વિશાલા હોટલ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલ આસિફ ઈસાભાઈ જેડા નામના ૨૨ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
