માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા


SHARE

















મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા

મોરબીના હળવદ હાઈવે ઉપર ઘુંટુ ગામ પાસે ઓટો રિક્ષાને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઓટોરિક્ષા ચાલક સહિત સાત લોકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામ પાસે નેકસીઓન સિરામીક નજીકથી ઓટોરિક્ષા લઈને પસાર થતા રિક્ષા ચાલકની રિક્ષાને આર્ટિગા કાર નંબર જીજે ૩૬ બી ૨૮૭૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષાચાલક વાલજીભાઈ પ્રભુભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૫૫) રહે.સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ મોરબી મૂળ રહે.ખારેચીયા તા.મોરબી તેમજ રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા ગિરિરાજસિંહ વિક્રમસિંહ મોરી અને જીગ્મેશસિંહ ભરતસિંહ પરમાર રહે.બંને ઉંચીમાંડલ તેમજ પારૂલબેન મોહનભાઈ લુહાર (૪૩), ગોવિંદભાઈ ભુરાભાઈ લુહાર (૧૮), અલુબેન મેઘુભાઈ લુહાર (૬૦) અને કાળીબેન ભુરાભાઈ લુહાર (૪૦) રહે.તમામ રતનાલ (કચ્છ) વાળાઓને નાના-મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા.હાલમાં રિક્ષાના ચાલક વાલજીભાઈ દેગામાએ ઉપરોકત નંબરની અર્ટિગા કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે કાર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવારીયા ગામે રહેતા અને મજૂરીકામ કરતા પરિવારના રાવીબેન અમિતભાઇ રાઠોડ નામની ૪૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમને અમિતભાઈ સારવાર માટે સિવિલે લાવ્યા હતા.રાવીબેનનો લગ્નગાળો ૧૪ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.સિનિલ હોસ્પિટલે રાવીબેનને એડમીટ કરવામાં આવેલા હોય તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા બનાવના કારણે અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News