મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા


SHARE













મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા

મોરબીના હળવદ હાઈવે ઉપર ઘુંટુ ગામ પાસે ઓટો રિક્ષાને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઓટોરિક્ષા ચાલક સહિત સાત લોકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામ પાસે નેકસીઓન સિરામીક નજીકથી ઓટોરિક્ષા લઈને પસાર થતા રિક્ષા ચાલકની રિક્ષાને આર્ટિગા કાર નંબર જીજે ૩૬ બી ૨૮૭૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષાચાલક વાલજીભાઈ પ્રભુભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૫૫) રહે.સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ મોરબી મૂળ રહે.ખારેચીયા તા.મોરબી તેમજ રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા ગિરિરાજસિંહ વિક્રમસિંહ મોરી અને જીગ્મેશસિંહ ભરતસિંહ પરમાર રહે.બંને ઉંચીમાંડલ તેમજ પારૂલબેન મોહનભાઈ લુહાર (૪૩), ગોવિંદભાઈ ભુરાભાઈ લુહાર (૧૮), અલુબેન મેઘુભાઈ લુહાર (૬૦) અને કાળીબેન ભુરાભાઈ લુહાર (૪૦) રહે.તમામ રતનાલ (કચ્છ) વાળાઓને નાના-મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા.હાલમાં રિક્ષાના ચાલક વાલજીભાઈ દેગામાએ ઉપરોકત નંબરની અર્ટિગા કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે કાર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવારીયા ગામે રહેતા અને મજૂરીકામ કરતા પરિવારના રાવીબેન અમિતભાઇ રાઠોડ નામની ૪૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમને અમિતભાઈ સારવાર માટે સિવિલે લાવ્યા હતા.રાવીબેનનો લગ્નગાળો ૧૪ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.સિનિલ હોસ્પિટલે રાવીબેનને એડમીટ કરવામાં આવેલા હોય તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા બનાવના કારણે અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News