મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રામ કૃષ્ણનગર પાસે અગાઉ એકટીવા ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન અને બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગર બ્લોક નંબર બી-૧ માં રહેતા ભરતભાઈ દિનેશભાઈ કણજારીયા (ઉમર ૨૫)એ હાલમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહનો ભાઈ તેમજ અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સિઝન સેન્ટરની દુકાન પાસે અગાઉ એકટીવા ધિમુ ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ કારમાં આવીને હિતેન્દ્રસિંહ તેમજ તેના ભાઈ અને અન્ય બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો તેમજ ત્યાં વચ્ચે પડેલ કિંજલબેન, હીનાબેન અને તેના પિતા દિનેશભાઈને પણ માર મારવામાં આવ્યો હતો જે બનાવની ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, મહાવીરસિંહ છોટુભા જાડેજા (૩૮) રહે.પીલુડી (વાઘપર) તા.જી.મોરબી અને મનોજ ઉર્ફે શન્ની બળદેવ સોલંકી (૩૬) રહે.જનકપુરી ટીંબડીના પાટીયા પાસે મોરબી-૨ વાળાની મોરબી બી ડીવીજન પીએસઆઇ એલ.એન.વાઢીયાએ ધરપકડ કરેલ છે.




Latest News