મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રામ કૃષ્ણનગર પાસે અગાઉ એકટીવા ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન અને બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગર બ્લોક નંબર બી-૧ માં રહેતા ભરતભાઈ દિનેશભાઈ કણજારીયા (ઉમર ૨૫)એ હાલમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહનો ભાઈ તેમજ અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સિઝન સેન્ટરની દુકાન પાસે અગાઉ એકટીવા ધિમુ ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ કારમાં આવીને હિતેન્દ્રસિંહ તેમજ તેના ભાઈ અને અન્ય બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો તેમજ ત્યાં વચ્ચે પડેલ કિંજલબેન, હીનાબેન અને તેના પિતા દિનેશભાઈને પણ માર મારવામાં આવ્યો હતો જે બનાવની ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, મહાવીરસિંહ છોટુભા જાડેજા (૩૮) રહે.પીલુડી (વાઘપર) તા.જી.મોરબી અને મનોજ ઉર્ફે શન્ની બળદેવ સોલંકી (૩૬) રહે.જનકપુરી ટીંબડીના પાટીયા પાસે મોરબી-૨ વાળાની મોરબી બી ડીવીજન પીએસઆઇ એલ.એન.વાઢીયાએ ધરપકડ કરેલ છે.






Latest News