મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા પાંજરાપોળ માટે દાન એકત્રીત કરાયુ


SHARE







મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા પાંજરાપોળ માટે દાન એકત્રીત કરાયુ

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા મોરબી પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે મકરસક્રાંતિના પાવન પર્વે દાન એકત્ર કરવા શનાળા રોડ સોમનાથ માર્કેટ રત્નકલા સામે રાવટી પાંજરાપોળ તરફથી કરવામાં આવેલ.જેમાં રાહદારીઓ તેમજ લાયન્સ ક્લબના સભ્યો, ચિત્રા ધૂનમંડળના સભ્યો, આજુબાજુના રહીશો દ્વારા કુલ ૮૬ હજાર જેવી માતબર રકમનું ગૌદાન મળેલ છે.આવું દાન મેળવવા મોરબીના વિવિધ વિસ્તારોમાંથી પાંજરાપોળમા આશરો મેળવતી ૪૨૦૦ ગાયોના નિભાવ માટે પાંજરાપોળ દ્વારા ૪૨ રાવટીઓ ઊભી કરવામાં આવી હતી.દાન એકત્ર કરવા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સર્વે સભ્યો હાજર રહેલ તેમ ક્લબના પ્રમુખ ટી.સી.ફુલતરીયાએ યાદીમાં જણાવેલ છે.તેમજ મોરબીના પાંચોટિયા પ્રદીપભાઈ હીરજીભાઈ દ્વારા પણ ઉત્તરાયણ નિમિત્તે ગૌશાળા ખાતે જઈને રૂપિયા સાત હજારનું ગૌદાન કરવામાં આવ્યું હતું. પ્રદીપભાઈએ તેમના પરિવારજનોની સાથે શહેરના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે જઈને ત્યાં ગૌવંશની સેવા કરતા ટ્રસ્ટમાં રૂપિયા સાત હજારનું ગૌદાન કર્યું હતું.






Latest News