મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કવાર્ટરમાં હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને (૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી આધેડનું મોત

રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થનગરમાં કેવલ દ્રષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧ માં રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવાડિયા (ઉંમર ૫૦) રાજકોટથી મોરબી થઈને હળવદ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે રસ્તામાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી પારસભાઈ કાલાવાડિયાને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જોકે ત્યાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આધેડનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News