મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કવાર્ટરમાં હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને (૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી આધેડનું મોત

રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થનગરમાં કેવલ દ્રષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧ માં રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવાડિયા (ઉંમર ૫૦) રાજકોટથી મોરબી થઈને હળવદ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે રસ્તામાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી પારસભાઈ કાલાવાડિયાને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જોકે ત્યાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આધેડનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News