ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કવાર્ટરમાં હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને (૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી આધેડનું મોત

રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થનગરમાં કેવલ દ્રષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧ માં રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવાડિયા (ઉંમર ૫૦) રાજકોટથી મોરબી થઈને હળવદ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે રસ્તામાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી પારસભાઈ કાલાવાડિયાને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જોકે ત્યાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આધેડનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News