મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !
SHARE
મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેને ઉકેલવામાં આવી રહી નથી જેથી કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકો ગઇકાલે પાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી માટે લોકો રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પાલિકામાં અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી
મોરબીના ઘણા વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે અને ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા હોય છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટીમાં પાણી નિયમિત રીતે આવતું નથી અને છેલ્લા ઘણા સમયથી લોકો પાણી માટે હેરાન છે અને ત્રણ વર્ષથી આ સોસાયટી બનાવવામાં આવી છે તો પણ લોકો પાણી આપવામાં આવતું નથી જેથી ૧૫૦ મકાનોમાં રહેતા ૧૦૦૦ થી વધુ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને શિયાળામાં પાણી માટે લોકોને હેરાન થવું પડે છે માટે લોકો પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પાલિકાના અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી નીલકંઠ સોસાયટીના લોકો રોષે ભરાયા હતા