માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ


SHARE

















મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીથી માંડી સુભાષબાબુ જ્યંતી સુધી સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે એ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી અને વાંકાનેર દ્વારા કરવામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી તાલુકાની સાર્થક વિદ્યા મંદિર ખાતે અને વાંકાનેર ખાતે મહારાજા સાહેબ કેસરીદેવસિંહજીની બોર્ડીંગ  ખાતે યોજાયો હતો

જેમાં મોરબી ખાતે પ્રચારકજી પ્રવીણભાઈ ઓતિયા પ્રાંત અધિકારી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને વાંકાનેર ખાતે જામનગર અને મોરબી જિલ્લાના પ્રચારક રામશીભાઈ આર.એસ.એસ. બૌદ્ધિક આપતા વિવિધ ઉદાહરણો દ્વારા જણાવ્યું હતું કે આપણે જે કંઈ કરીએ એમ રાષ્ટ્ર પ્રથમ નંબરે હોવું જોઈએ અને બીજા નંબરે પણ રાષ્ટ્ર જ  હોવો જોઈએ. શિક્ષક તરીકેનો વ્યવસાય અતિ ઉત્તમ અને પવિત્ર છે,શિક્ષકો દ્વારા જ વર્ગખંડોમાં ભારતના ઉત્તમ ભાવીનું ઘડતર થઈ રહ્યું છે.સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝ જેવા મહા માનવોનો રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્ભક્તિ, રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ પ્રત્યેનું સમર્પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીને વિદ્યાર્થીઓને ઉત્તમ ચારિત્ર્યવાન બનાવવાનું કામ શિક્ષકોના હાથમાં છે વગેરે વાતો દ્વારા વક્તાઓએ કર્તવ્ય બોધ આપ્યો હતો આ કાર્યક્રમમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાળા, દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ સતાસિયા, નવઘનભાઈ દેગામા, સી.સી.કાવર, ચિરાગભાઈ આદ્રોજા, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, કિરીટભાઈ દેકાવડીયા, સંદીપભાઈ લોરીયા સહિતના હાજર રહ્યા હતા




Latest News