મોરબીના જેતપર રોડને તાકીદે રીપેર કરવા ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આપી સૂચના
મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૨૬૭ કેસ નોંધાયા
SHARE
મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૨૬૭ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે મોરબી જિલ્લાની અંદરથી ૧૬૩૫ સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૨૬૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી ૧૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૧૭૮૧ થઈ ગયેલ છે
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં રવિવારે ૧૬૩૫ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૨૬૭ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત છે જો કે, કરફ્યુની શનિવાર રાતથી અમલવારી પછી કેસની સંખ્યામાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી જો તાલુકા વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૧૭૬, વાંકાનેરમાં ૨૮, હળવદમાં ૨૯, ટંકારામાં ૨૬ અને માળીયા તાલુકામાં ૮ કોરોનાના કેસ સોમવારે નોંધાયેલ છે