મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના કાળમાં લગ્ન માટે કરી અનોખી પહેલ
મોરબીના જેતપર રોડને તાકીદે રીપેર કરવા ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આપી સૂચના
SHARE
મોરબીના જેતપર રોડને તાકીદે રીપેર કરવા ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આપી સૂચના
મોરબીના જેતપર થઈને અણીયારી સુધીનો રોડ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોક લાગણી અને માંગણી ઉઠી છે ત્યારે તેને ધ્યાને રાખી મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ઉચ્ચ કક્ષાએ ફરીથી ધ્યાન દોરી આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે સૂચન આપેલ છે
આ રોડનું કામ ઝડપથી કરવા માટે તા.૨૫/૧ ને મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે આ રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં એક બેઠક રાજકોટ ખાતે યોજેલ છે જેમાં આ રસ્તાની ત્વરિત રીપેરીંગ કામગીરી તેમજ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી કરવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે