મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરની આંગણવાડીની દીકરીઓને મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત મેંગોપીપલ પરીવાર દ્વારા સેનેટરી પેડ વિતરણ


SHARE











વાંકાનેરની આંગણવાડીની દીકરીઓને મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત મેંગોપીપલ પરીવાર દ્વારા સેનેટરી પેડ વિતરણ

તાજેતરમાં વાંકાનેર ઘટક-૨ ની આંગણવાડીની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયુ

મેંગોપીપલ પરીવારના શ્રીમતી મોનાબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવી હતી.સેનેટરી પેડની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવારને જાય છે.મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, સિડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સુપરવાઈઝર વૈશાલીબેન પટગીર, પુર્ણા કન્સલટન્ટ મયુરભાઈ સોલંકી, ટ્રેનર નીતાબેન, એસએનકે હેડ કોમલબેન તથા હેલ્પર બહેનો દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે.સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગરમાં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે તે ઉપરાંત સંસ્થા દ્વારા "પ્રોજેક્ટ મુસ્કાન" દ્વારા સ્લમ વિસ્તારોની બહેન-દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.આ સારા કામમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો ૯૨૭૬૦ ૦૭૭૮૬ ) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.






Latest News