મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ


SHARE













મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ

મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકામાં રોડ રસ્તા બિસ્માર છે જેથી કરીને અવાર નવાર અકસ્માતો થાય છે. અને લોકોના જીવ જાય છે જેથી કરીને ભંગાર રસ્તાઓના પેચવર્ક કરવા તથા રોડના નવીનીકરણ કરવાની તાતી જરૂર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આ મુદે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલએ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિકનગરી છે જેથી કરીને અહિયાં ૪૦થી ૫૦ ટન માલ ભરેલા વાહનોની અવર જવર રસ્તા ઉપર રહેતી હોય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જો સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે તો જ અહીના રસ્તા ટકી શકે તેમ છે તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ, પેપર, સનમાઈકા, પેકેજિંગ સહિતના નાના-મોટા અનેક ઉદ્યોગ આવેલ છે. આ ઉદ્યોગોના લીધે ભારે વાહન, પેસેન્જર વાહન તથા પ્રાઇવેટ વાહનની મોટી અવર જવર રહે છે ત્યારે રસ્તા ઉપર ઊડતી ધૂળની ડમરીઓ બંધ કરવા માટે તાત્કાલિક રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી જેતપર રોડ, હળવદ રોડ અને કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અને ખરાબ રસ્તાના લીધે ઉદ્યોગકારો, મજૂરો, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નિર્દોષ લોકોના જીવ પણ આ ભંગાર રોડના લીધે જાય છે ત્યારે લોકોના જીવ બચાવવા માટે રોડના કામ કરવામાં આવે તે જરૂરી છે અને જો તંત્ર દ્વારા કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારી છે






Latest News