મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ


SHARE













મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ

મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકામાં રોડ રસ્તા બિસ્માર છે જેથી કરીને અવાર નવાર અકસ્માતો થાય છે. અને લોકોના જીવ જાય છે જેથી કરીને ભંગાર રસ્તાઓના પેચવર્ક કરવા તથા રોડના નવીનીકરણ કરવાની તાતી જરૂર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આ મુદે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલએ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિકનગરી છે જેથી કરીને અહિયાં ૪૦થી ૫૦ ટન માલ ભરેલા વાહનોની અવર જવર રસ્તા ઉપર રહેતી હોય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જો સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે તો જ અહીના રસ્તા ટકી શકે તેમ છે તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ, પેપર, સનમાઈકા, પેકેજિંગ સહિતના નાના-મોટા અનેક ઉદ્યોગ આવેલ છે. આ ઉદ્યોગોના લીધે ભારે વાહન, પેસેન્જર વાહન તથા પ્રાઇવેટ વાહનની મોટી અવર જવર રહે છે ત્યારે રસ્તા ઉપર ઊડતી ધૂળની ડમરીઓ બંધ કરવા માટે તાત્કાલિક રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી જેતપર રોડ, હળવદ રોડ અને કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અને ખરાબ રસ્તાના લીધે ઉદ્યોગકારો, મજૂરો, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નિર્દોષ લોકોના જીવ પણ આ ભંગાર રોડના લીધે જાય છે ત્યારે લોકોના જીવ બચાવવા માટે રોડના કામ કરવામાં આવે તે જરૂરી છે અને જો તંત્ર દ્વારા કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારી છે






Latest News