માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર


SHARE

















મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નાણા ધિરનાર અધિનિયમ તથા ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી જે ફરીયાદમાં ફરિયાદીએ આરોપી પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા અને તે પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતાં પણ પૈસાની ઉધરાણી કરતાં હોય તેવી ફરીયાદ નોંધાવી હતી

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી આશીષ ધીરૂભાઈ વિરડાની આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા અને તેને દલીલ કરી હતી તેમ જણાવ્યું હતું કે, આરોપીએ આવા કોઈ પૈસા આપેલ ન હોય અને જાનથી મારી નાખવાની કોઈ ધમકી આપેલ નથી આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતાં




Latest News