ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના નેકનામ ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબી : ટંકારાના નેકનામ ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં આદિવાસી પરિવારની મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 

ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે પૃથ્વીસિંહની વાડીએ રહીને મજૂરીકામ કરતા આદીવાસી પરિવારના રૂખાબેન જીવણભાઈ વસુનિયા જાતે આદિવાસી નામની ૨૫ વર્ષીય પરિણિત મહિલાએ ગત તા.૨૬-૧ ના રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીને પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન ગઇકાલે તા.૩૦-૧ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં રૂખાબેન જીવણભાઈ વસુનિયા નામની આદિવાસી મહિલાનું મોત નીપજયું હતું.મૃતકનો લગ્નગાળો ત્રણેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.હાલ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઇ એસ.એમ.રાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રૂખાબેન પોતાના મા-બાપ સાથે નેકનામ ગામે વાડીમાં પોતાના પતિ જીવણભાઈ સાથે રહેતા હતા હાલ બનાવના કારણ અંગે કોઈ ખુલાસો ન થયો હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આધેડનું મોત

મોરબીના લાલપર ગામે ફેમસ સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા મુન્નીલાલસિંહ સત્યનારાયણસિંહ રાજપુત નામના ૫૨ વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં રામપ્રસાદ દ્રારા અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મુન્નીલાલસિંહ રાજપુતને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકનો હુમલો જીવલેણ સાબિત થયો હોય તેમ જાણવા મળ્યું હતું. હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી છે જેની આગળની તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતો શબ્બીર ફતેહમામદ કટિયા નામનો ૩૬ વર્ષીય યુવાન મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખાડા વિસ્તારમાં હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News