મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના નાના દહિંસરા ગામે દારૂની ૭૨ બોટલ પકડાઇ, આરોપીની શોધખોળ ચાલુ


SHARE

















માળીયા (મિં.) ના નાના દહિંસરા ગામે દારૂની ૭૨ બોટલ પકડાઇ, આરોપીની શોધખોળ ચાલુ

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાના દહિંસરા ગામે જીનામ મંદિર જવાના રસ્તે બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે માળીયા પોલીસે ત્યાં રેડ કરતા બાવળની કાંટમાંથી ૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો અને એક ઇસમનું નામ ખૂલતા હાલ તેની સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

માળીયા મિંયાણા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફને બાતમી મળી હતી કે નાના દહિંસરા ગામે આવેલ જીનામ મંદિર જવાના રસ્તે આવેવ અવાવરૂ વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસને ૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ૨૭ હજારની કિંમતના દારૂના જથ્થાને જપ્ત કરેલ છે. ૭૨ બોટલ દારૂમાં ઈરફાન અલી સુમરા સંધી રહે.નાના દહિંસરા વાળાનું નામ ખૂલતા હાલ તેને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

માળીયા મિંયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા જયસુખભાઇ જયંતીભાઈ સિંચણોદા નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ગળે જાતે બ્લેડ મારતા ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં જયસુખભાઈને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જયાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના દુધરેજ તાલુકાના મોટા અંકેવાળીયા ગામે રહેતો સુરેશ ઈશ્વરભાઈ પટેલ નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાના ગામ મોટા અંકેવાળીયાથી હળવદ બાજુ આવતો હતો ત્યારે હળવદના કવાડીયા ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રત સુરેશભાઇ પટેલને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જબુબેન બચુભાઈ અંબાસણીયા નામના ૭૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને ચોટીલા હાઈવે ઉપરથી જતા હતા ત્યાં નવાગામ પાસે તેઓ બાઇકના પાછળથી નિચે પડી જતાં જબુબેન અંબાસણીયાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News