મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત


SHARE

















મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ભરતનગરમાં રહેતા અને વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને તેનું બાઈક ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે તરવૈયાઓને બોલાવીને આપઘાત કરી લેનાર કર્મચારીની બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આપઘાતના બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની અવધ સોસાયટી શેરી નંબર-૪ માં રહેતા અશ્વિનભાઈ ભાણજીભાઈ વામજા (ઉંમર ૪૫) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગરમાં રહેતા તેઓના ભાઈજીના દીકરા ભાઈ રાજેશભાઈ ઓધવજીભાઈ વામજા (ઉંમર ૪૫) વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગત તા. ૩૧ રોજ સવારે સાત વાગ્યે ઓફિસે જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તે ઓફિસે પહોંચ્યાં ન હતા જેથી તેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેનું બાઇક જીજે ૩ ઈજી ૧૯૩૮ મચ્છુ-૩ ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તરવૈયાને બોલાવીને ડેમના પાણીમાં શોધખોળ કરતાં પાણીમાંથી રાજેશભાઈ ઓધવજીભાઈ વામજાની લાશ મળી આવી હતી જેથી તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના મનીષ બારૈયા કરી રહ્યા છે




Latest News