મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે સરકારી શાળામાં પક્ષી-અબોલજીવના જીવ બચાવવા અનોખી સ્પર્ધા યોજાઇ


SHARE

















મોરબીના નાની વાવડી ગામે સરકારી શાળામાં પક્ષી-અબોલજીવના જીવ બચાવવા અનોખી સ્પર્ધા યોજાઇ

મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાની મોજ માણ્યા બાદ લોકો આડેધડ દોરા ગૂંચ તેમજ કપાયેલા પતંગની દોરીઓ ફેંકી ડેટા હોય છે જે અવારનવાર પક્ષીઓ અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે દોરીઓ પક્ષી કે અબોલ જીવ માટે જીવલેણ સાબિત ન થાય તેવા હેતુ સાથે મોરબી નજીક નાની વાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાની અંદર એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શાળાની અંદર અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ગામમાં પોતાના ઘરની આસપાસમાં કોઈ પણ જગ્યાએ દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા પડ્યા હોય તો તે એકત્રિત કરીને શાળાએ લાવવા માટે કહેવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાની અંદર શાળાના મોટાભાગના બાળકોએ ભાગ લીધો હતો અને નાની વાવડી ગામના જુદા જુદા વિસ્તારમાં રહેતા બાળકોએ પોતાના ઘરની આસપાસમાં તેમજ ધાબા ઉપર પડેલા દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા એકત્રિત કરીને શાળાએ પહોંચાડ્યા હતા અને તેમાં સૌથી વધુ દોરાની ગૂંચ જે વિદ્યાર્થીઓ લઈને આવ્યા હતા તેને વિજેતા જાહેર કરીને પ્રોત્સાહક ઈનામ આપીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

વધુમાં આ શાળાના આચાર્ય હરેશભાઈ ગોહેલ તેમજ શિક્ષક અશોકભાઈ કાંજીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા પક્ષી કે અબોલ જીવ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે આ અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને તેમાંથી વિદ્યાર્થીઓને પણ શીખવા અને જાણવા મળ્યું કે, મકરસંક્રાંતિના એક દિવસની ઉજવણી બાદ જે આડેધડ દોરીઓ ફેંકવામાં આવે છે તે અન્ય લોકો અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થવાની શક્યતા હોય છે માટે દોરાને એકત્રિત કરીને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો ઘણા જીવ બચાવી શકાય છે આ સ્પર્ધામાં ધોરણ-૧માં પડસૂબિયા વૈદ, ધોરણ ૨માં પડસૂબિયાદર્શધોરણ ૩માં સોનારા નિશાંતધોરણ ૪માં સિંધવ વૈભવ, ધોરણ ૫માં આદ્રોજા હેત, ધોરણ ૬ માં નટડાક દયારામ, ધોરણ ૭માં વાસાણી ધર્મ અને ધોરણ ૮માં રૂપાલા ધર્મ વિજેતા બનેલ છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપીને અન્ય સ્પર્ધાઓની અંદર પણ તે ભાગ લેવા માટે ઉત્સાહિત રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




Latest News