માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 


SHARE

















માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 

શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગારપંચાયત (સ્વતંત્ર હવાલો)ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો ઉમેરો કરવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેઆર્થિકસામાજિકશૈક્ષણિક રીતે નબળા અને છેવાડાના વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપકારક નીવડશે. આ ઉપરાંત વવાણીયા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ અંતિમ ચરણોમાં હોવાનું પણ મંત્રીએ જણાવી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ડાંગરમોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને જયુભા જાડેજાઅગ્રણી સુભાષભાઇ પડસુંબીયાગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચજિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવહળવદ માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યજિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરામાળીયા મામલતદાર ડી.સી. પરમારતાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયાઆરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News