રાજયપાલના પ્રવચનનો મુસદ્દો તૈયાર કરવાની સમિતિમાં સભ્ય તરીકે મંત્રી બ્રિજેશભાઇનો સમાવેશ
માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
SHARE









માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો ઉમેરો કરવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે નબળા અને છેવાડાના વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપકારક નીવડશે. આ ઉપરાંત વવાણીયા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ અંતિમ ચરણોમાં હોવાનું પણ મંત્રીએ જણાવી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ડાંગર, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને જયુભા જાડેજા, અગ્રણી સુભાષભાઇ પડસુંબીયા, ગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, હળવદ માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.
