મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય


SHARE













મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  રાજકોટ સંસ્થાનની શાખા એવા મોરબી સ્વામીનારાયણ ગુરૂકુલમાં વસંતપંચમી તેમજ શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણદાસજી સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામીએ મંત્રોચ્ચાર કરી પૂજન વિધિ કરાવી હતી.જેમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઈન ભાગ લીધો હતો.તેમજ આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઇન ભાગ લઇને પૂજા-અર્ચના કરી હતી. શિક્ષાપત્રી તેમજ વસંત પંચમીનું મહત્વ વિશે વાલી ભાડજા પ્રિયાબેન વિજયભાઈ અને શિક્ષિકા અંદરપા નિશાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આમ સર્વેએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની પ્રથમ શરૂઆત સન ૧૯૪૮ માં પૂજ્ય ગુરુવર્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા થયેલી હોય સ્વામીશ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા.






Latest News