મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા
મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય
SHARE
મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની શાખા એવા મોરબી સ્વામીનારાયણ ગુરૂકુલમાં વસંતપંચમી તેમજ શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણદાસજી સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામીએ મંત્રોચ્ચાર કરી પૂજન વિધિ કરાવી હતી.જેમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઈન ભાગ લીધો હતો.તેમજ આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઇન ભાગ લઇને પૂજા-અર્ચના કરી હતી. શિક્ષાપત્રી તેમજ વસંત પંચમીનું મહત્વ વિશે વાલી ભાડજા પ્રિયાબેન વિજયભાઈ અને શિક્ષિકા અંદરપા નિશાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આમ સર્વેએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની પ્રથમ શરૂઆત સન ૧૯૪૮ માં પૂજ્ય ગુરુવર્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા થયેલી હોય સ્વામીશ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા.