મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો


SHARE













મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર યમુના પાર્ક જવાના રસ્તા ઉપર આવતા નિધિ પાર્કની પાછળના ભાગમાં મફતીયા પરામાં રહેતા શખ્સને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે તેમ છતાં પણ તે મોરબીમાંથી મળી આવ્યો છે માટે બી ડિવિઝન પોલીસે હાલમાં તેની સામે હદપારીના હુકમના ભંગ સબબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના વીસીપરામાં અમરેલી રોડ પાસેથી યમુના પાર્ક અને નિધિ પાર્ક જવાના રસ્તા પાસે આવેલ માફાતિયાપરામાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયા જાતે મિયાણા (ઉ.૩૨) નામના શખસને તા, ૧૨-૭-૨૦૨૧ ના રોજ હુકમ કરીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી ૧૨ મહિના માટે હદ પાર કરવામાં આવેલ છે છતાં પણ તે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર નિધિપાર્ક પાછળના ભાગમાં મફતીયાપરામાંથી મળી આવેલ છે જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા હદ પારના હુકમના ભંગ સબબ અબુભાઇ ફતેમામદ કટીયાની સામે વધુ એક ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

નજીવી વાતે મારામારી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ધનજીભાઈ કોળી નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિર નજીક રહેતા પ્રવિણ પટેલ, ગીતાબેન પ્રવીણભાઈ અને એક અજાણ્યો ઈસમ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પુત્રની સાથે સામાવાળાના ઘરની નજીક બાટલો મુકવા માટે ગયા હતા ત્યારે સામેના આરોપીઓએ બાટલો મૂકવાની ના પાડતાં તે બાબતે ફરિયાદ તેમની સાથે વાતચીત કરવા જતાં સામાવાળાઓ દ્રારા ગાળો આપીને દિલિપભાઇને મૂઢ માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવ અંગે નોંધ કરીવે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.






Latest News