મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો


SHARE











મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર યમુના પાર્ક જવાના રસ્તા ઉપર આવતા નિધિ પાર્કની પાછળના ભાગમાં મફતીયા પરામાં રહેતા શખ્સને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે તેમ છતાં પણ તે મોરબીમાંથી મળી આવ્યો છે માટે બી ડિવિઝન પોલીસે હાલમાં તેની સામે હદપારીના હુકમના ભંગ સબબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના વીસીપરામાં અમરેલી રોડ પાસેથી યમુના પાર્ક અને નિધિ પાર્ક જવાના રસ્તા પાસે આવેલ માફાતિયાપરામાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયા જાતે મિયાણા (ઉ.૩૨) નામના શખસને તા, ૧૨-૭-૨૦૨૧ ના રોજ હુકમ કરીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી ૧૨ મહિના માટે હદ પાર કરવામાં આવેલ છે છતાં પણ તે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર નિધિપાર્ક પાછળના ભાગમાં મફતીયાપરામાંથી મળી આવેલ છે જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા હદ પારના હુકમના ભંગ સબબ અબુભાઇ ફતેમામદ કટીયાની સામે વધુ એક ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

નજીવી વાતે મારામારી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ધનજીભાઈ કોળી નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિર નજીક રહેતા પ્રવિણ પટેલ, ગીતાબેન પ્રવીણભાઈ અને એક અજાણ્યો ઈસમ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પુત્રની સાથે સામાવાળાના ઘરની નજીક બાટલો મુકવા માટે ગયા હતા ત્યારે સામેના આરોપીઓએ બાટલો મૂકવાની ના પાડતાં તે બાબતે ફરિયાદ તેમની સાથે વાતચીત કરવા જતાં સામાવાળાઓ દ્રારા ગાળો આપીને દિલિપભાઇને મૂઢ માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવ અંગે નોંધ કરીવે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.






Latest News