મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી શહેરના ગ્રીન ચોક પાસે આવેલ સ્વાગત જવેલર્સની સામેના ભાગમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ગ્રીન ચોક પાસે સ્વાગત જ્વેલર્સની સામેના ભાગમાં રહેતા પરાગભાઈ લાભશંકરભાઇ મોદી (ઉંમર ૫૫)એ પોતાના ઘરની અંદર ગઈકાલે પોણા ચાર વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વૃદ્ધને માનસિક બીમારી હતી અને માનસિક બીમારી સબબ તેને ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજયું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

યુવાન સારવારમાં
 
મોરબીના રંગપર ગામે રહેતો કરણ અમરસીભાઇ સાકરીયા નામનો ૨૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જોકે પોલીસ તપાસ માટે પહોંચે તે પહેલાં જ તે રજા લીધા વગર ચાલ્યો હયો હતો..! જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે ગોળાઇ પાસે બાઇક સ્લીપ થઇ જતા માથા અને જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી શની લાભુભાઈ સુરેલા (૨૨) રહે.મકનસર તા.જી.મોરબીને સારવાર માટે અહીંની આયુષ  હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.
 
આધેડ સારવારમાં
 
મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ નજીક રહેતા બચુભાઈ નારણભાઈ ગામી નામના ૬૩ વર્ષીય આધેડને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓએ તબીબને નિવેદનમાં જણાવ્યું હતું કે, બાજુમાં લારી લઇને ઉભી રહેતા પોપટ ફ્રુટવાળાએ તેમને ચા માં કોઈ પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હોય તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. બનાવની એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





Latest News