મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી શહેરના ગ્રીન ચોક પાસે આવેલ સ્વાગત જવેલર્સની સામેના ભાગમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ગ્રીન ચોક પાસે સ્વાગત જ્વેલર્સની સામેના ભાગમાં રહેતા પરાગભાઈ લાભશંકરભાઇ મોદી (ઉંમર ૫૫)એ પોતાના ઘરની અંદર ગઈકાલે પોણા ચાર વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વૃદ્ધને માનસિક બીમારી હતી અને માનસિક બીમારી સબબ તેને ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજયું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

યુવાન સારવારમાં
 
મોરબીના રંગપર ગામે રહેતો કરણ અમરસીભાઇ સાકરીયા નામનો ૨૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જોકે પોલીસ તપાસ માટે પહોંચે તે પહેલાં જ તે રજા લીધા વગર ચાલ્યો હયો હતો..! જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે ગોળાઇ પાસે બાઇક સ્લીપ થઇ જતા માથા અને જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી શની લાભુભાઈ સુરેલા (૨૨) રહે.મકનસર તા.જી.મોરબીને સારવાર માટે અહીંની આયુષ  હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.
 
આધેડ સારવારમાં
 
મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ નજીક રહેતા બચુભાઈ નારણભાઈ ગામી નામના ૬૩ વર્ષીય આધેડને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓએ તબીબને નિવેદનમાં જણાવ્યું હતું કે, બાજુમાં લારી લઇને ઉભી રહેતા પોપટ ફ્રુટવાળાએ તેમને ચા માં કોઈ પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હોય તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. બનાવની એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





Latest News