હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને સગાઈ થઈ ગયેલ યુવતીએ પ્રેમી યુવક સાથે કર્યો આપઘાત


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને સગાઈ થઈ ગયેલ યુવતીએ પ્રેમી યુવક સાથે કર્યો આપઘાત

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી છેલ્લા ચાર દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા જેથી કરીને તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા દરમિયાન તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો અને ગઇકાલે બપોરના સમયે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી જેથી તરવૈયાઓની મદદથી યુવક અને યુવતીની લાશને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મચ્છુ-૨ ડેમની અંદર યુવક અને યુવતીની લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓની મદદથી ડેમની અંદર પડેલી યુવક અને યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી અને ડેડબોડીને પી.એમ.માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનનું નામ ધવલ રાજેશભાઈ રાઠોડ (૧૯) રહે. લાયન્સનગર મોરબી અને મૃતક યુવતીનું નામ ક્રિષ્નાબેન શક્તિભાઈ જેઠવા (૧૮) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને મૃતક યુવતીના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી હતી

 

વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવતી અને યુવાન છેલ્લા ચાર દિવસથી તેના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેઓને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને હાલમાં બંનેએ સજોડે મોરબીના મચ્છુ ડેમમાં આપઘાત કરેલી હાલતમાં તેની લાશ મળી આવી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હોસ્પિટલ પાસેથી અકત્રિત થયેલા મૃતક યુવતીના પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ક્રિષ્નાબેન જેઠવાની અમદાવાદ ખાતે સગાઈ કરવામાં આવી હતી અને નજીકના દિવસોમાં જ તેના લગ્ન હતા ત્યારે યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું  છે વધુમાં એવિ પણ માહિતી મળી છે કે મૃતક યુવક અને યુવતી પહેલા પાડોશમાં રહેતા હતા અને બંનેના પરિવાર વચ્ચે સારા સબંધ હતા ત્યારે તે બંનેની આંખ મળી ગઈ હતી અને એક નહીં શકે તેવા ડરના લીધે તેઓએ સજોડે આપઘાત કરી લીધેલ છે






Latest News