મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન


SHARE











માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન

માળીયાના બગસરાના ખેડૂતના ખેતરને રસ્ત ઉપર મીઠું ઢોળવાથી નુકશાન થતું હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે જો કે, હજુ સુધીમાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તો કાઢી આપવામાં આવેલ નથી જેથી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મીઠાના વાહનોની આવક જાવક માટે રસ્તો કાઢી આપવાની તેમજ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

માળીયાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નગજીભાઇ પીપળીયાકલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બગસરા ગામેથી મીઠા ભરેલા ટ્રક સહિતના વાહનો નીકળે છે જેમાંથી મીઠું ઢોળાતું હોય છે અને ખેતરોમાં પાક તેમજ લોકોને નુકશાન થાય છે માટે મીઠું ઢોળતા વાહનોને બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે તેની સાથોસાથ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષોથી જે રસ્તા ઉપરથી વાહનો જતાં હતા તે જ રસ્તા ઉપરથી આજની તારીખે પણ મીઠાના વાહનો પસાર થાય છે જો કે, પહેલા ત્યાં વસાહત કે સ્કૂલ ન હતી અને હાલમાં બની ગયેલ છે જેથી ઉદ્યોગકારો દ્વારા પણ અધિકારીને વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે જો કે, અધિકારી કોઈ કામ કરેલ નથી જેના લીધે આજની તારીખે ગામના લોકો અને ઉદ્યોગકાર વચ્ચે કારણ વગરનું ઘર્ષણ થઈ રહ્યું છે તે હક્કિત છે

 






Latest News