હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીક કાંડ મુદ્દે ગુજરાતમાં મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી અને અને હાલમાં અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ત્યારે આપના જિલ્લાના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા તેમજ રવિભાઈ રાજપરા, દિવ્યેશભાઈ માગુંનિયા, રમેશભાઈ સદાતિયા, ભવદીપસિંહ ઝાલા, નરભેરમભાઇ દેસાઈ, અલ્પાબેન કકડ, હેમરાજભાઈ કાનાણી સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ખોટા કેસો કરી "આપ" ના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને જેલમાં પુરી દીધા હતા તો પણ આપના ગુજરાતના નેતા અને કર્યાકર્તાઓ જુક્યા ન હતા અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો તેમજ ઉપવાસ પર બેઠા હતા અને આવેદન પત્રો આપ્યા હતા અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હતી. આખરે સરકારને જુકવું પડ્યું છે અને અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીતાનશાહ અને ભ્રષ્ટચાર સરકારને ઝુકાવી યુવાનોને ન્યાય અપાવ્યો છે






Latest News