મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી
ટંકારા શહેરમાં ૧૯૬૫ માં ધરે ધરે હતી વિજળી
SHARE
ટંકારા શહેરમાં ૧૯૬૫ માં ધરે ધરે હતી વિજળી
ટંકારા શહેરમા ૧૯૬૫ માં ધરે ધરે વિજળી હતી અને પહેલું ઈલેક્ટ્રિક જનરેટર શહેરમાં ૧૯૪૫ મા આવ્યુ હતું તે પહેલા રાજ મહેલમાં પવનચક્કિ ઉપર લાઈટ ચલાવાતી હતી ત્યારે મગનલાલ દોશીના શાંન્તિનીકેતન બંગલામાં સૌથી પહેલા લેમ્પ જગમગી ઉઠયો હતો અને બાદમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ડિઝલ જનરેટર આવ્યુ હતું અને આઝાદીના ૧૭ વર્ષ પછી ટંકારામાં ધરે ધરે લાઈટ કનેક્શન મળવા લાગ્યા હતા
આજથી પચાસ વર્ષ પહેલાં ટંકારાના ધરડા બાપદાદા વડીલો કેવી રીતે રહેતા અને એની દિનચર્યા શુ હતી? તમે અત્યારે આ વાચન કરતા કરતા અનેક વિચારો અને સવાલો સાથે અજબ ગજબ અનુભવ કરતા હશો! પણ જગુભાઈએ જણાવયુ એ તમને જણાવી દઉં કે, અગાઉના વડીલો પ્રકૃતિના ખોળો ખુદી જીવનશૈલી પ્રસાર કરતા હતા. ન હતા ટિવી કે ફોન હા પાવરથી ચાલતા રેડિયો જરૂર હતા જેની વાત પણ વળી ક્યારેક કરશું પણ સુર્ય નારાયણના ક્રમ પ્રમાણે ચાલતા રોજીંદા કામમાં ફાનસ, દીવો, પેટ્રોમસે અનેકના જીવનમાં અજવાળું પાથરી ગયુ છે. તમને થતુ હશે તો રાત્રે બજારની સ્થિતિ શુ હશે? તો જ્યારે લાઈટ ન હતી અને થાંભલા પણ નહતા ત્યારે સુધરાઈ એટલે કે (પંચાયત અમલ પહેલાનુ શાશનમા) ટંકારાની બજારોમાં ચોક્કસ નક્કી કરેલ જગ્યા ઉપર દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરવામા આવતો અને ચાર પગાની સિડી લઈ સાંજે વાલાબાપા તેલ પુરી ઠેક ઠેકાણે દીવો જલાવતા જનરેટરમાથી વિના મૂલ્યે પ્રસંગે વિજળી આપતા હતા અને ડિઝલ જનરેટર પહેલા ટંકારામાં પવનચક્કિ હતી અને એ પણ મોરબી રાજવીના ટંકારા મહેલમાં જેનો ઉપયોગ માત્ર મહેલ પુરતો સિમીત હતો અને ૧૯૬૫ આસપાસ ધરે ધરે વિજળી આપવાનુ ગુજરાત બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું