મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીક કાંડ મુદ્દે ગુજરાતમાં મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી અને અને હાલમાં અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ત્યારે આપના જિલ્લાના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા તેમજ રવિભાઈ રાજપરા, દિવ્યેશભાઈ માગુંનિયા, રમેશભાઈ સદાતિયા, ભવદીપસિંહ ઝાલા, નરભેરમભાઇ દેસાઈ, અલ્પાબેન કકડ, હેમરાજભાઈ કાનાણી સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ખોટા કેસો કરી "આપ" ના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને જેલમાં પુરી દીધા હતા તો પણ આપના ગુજરાતના નેતા અને કર્યાકર્તાઓ જુક્યા ન હતા અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો તેમજ ઉપવાસ પર બેઠા હતા અને આવેદન પત્રો આપ્યા હતા અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હતી. આખરે સરકારને જુકવું પડ્યું છે અને અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીતાનશાહ અને ભ્રષ્ટચાર સરકારને ઝુકાવી યુવાનોને ન્યાય અપાવ્યો છે






Latest News