માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી
SHARE
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીક કાંડ મુદ્દે ગુજરાતમાં મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી અને અને હાલમાં અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ત્યારે આપના જિલ્લાના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા તેમજ રવિભાઈ રાજપરા, દિવ્યેશભાઈ માગુંનિયા, રમેશભાઈ સદાતિયા, ભવદીપસિંહ ઝાલા, નરભેરમભાઇ દેસાઈ, અલ્પાબેન કકડ, હેમરાજભાઈ કાનાણી સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ખોટા કેસો કરી "આપ" ના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને જેલમાં પુરી દીધા હતા તો પણ આપના ગુજરાતના નેતા અને કર્યાકર્તાઓ જુક્યા ન હતા અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો તેમજ ઉપવાસ પર બેઠા હતા અને આવેદન પત્રો આપ્યા હતા અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હતી. આખરે સરકારને જુકવું પડ્યું છે અને અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીએ તાનશાહ અને ભ્રષ્ટચાર સરકારને ઝુકાવી યુવાનોને ન્યાય અપાવ્યો છે