મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

પોલીસ બેડામાં ઊથલ પાથલ: મોરબી જિલ્લામાં એલસીબી પીઆઇ સહિત નવ અધિકારી અને ૨૪ જવાનોની બદલી


SHARE













પોલીસ બેડામાં ઊથલ પાથલ: મોરબી જિલ્લામાં એલસીબી પીઆઇ સહિત નવ અધિકારી અને ૨૪ જવાનોની બદલી

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા અધિકારીઓની મોડી સાંજે બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ સહિત કુલ મળીને નવ અધિકારી અને 24 જવાનોની બદલી કરવામાં આવી છે

મોરબી જિલ્લાના એસપી એસ.આર.ઓડેદરાએ ગઇકાલે મોડી સાંજે એલસીબીના પીઆઇ વી.બી. જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરેલ છે અને છેલ્લા થોડા દિવસ ઇન્ચાર્જ પીઆઇ તરીકે એલસીબીમાં મૂકવામાં આવેલા હતા તે મોરબી તાલુકાના પીઆઇ એમ.આર.ગોઢાણીયાને એલસીબી તરીકે મૂકવામાં આવેલ છે આવી જ રીતે મોરબી સિટી બી ડિવિઝનના પીઆઇ વી.એલ. પટેલની મોરબી તાલુકા પીઆઇ તરીકે બદલી કરવામાં આવેલ છે અને અગાઉ હળવદના પીઆઇ તરીકે ફરજ બજાવનાર અને હાલમાં લિવ રિઝર્વમાં હતા તે પીઆઇ પી.એ.દેકાવડિયાને મોરબી સિટી બી ડિવિઝનમાં પીઆઇ તરીકે મૂકવામાં આવેલ છે તો પાંચ પીએસઆઈની પણ બદલીઓ કરવામાં આવી છે તેમાં એલસીબી શાખા (આર્થિક ગુના નિવારણ)માં એન.એચ. ચુડાસમા, માળીયામાં બી.ડી. જાડેજા, મોરબી સિટી બી ડિવિઝનમાં વી.બી. રાયમા, વાંકાનેર સીટીમાં એન.એ.શુક્લા, મોરબી સિટી એ ડિવિઝનમાં એમ.પી.સોનારાની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જીલ્લામાં ૨૪ જવાનોની બદલી કરવામાં આવી છે જેમાં બળદેવસિંહ જાડેજા,  રણજિતસિંહ રાઠોડ, મહેન્દ્રકુમાર ગઢવી, આરઝુબેન ઓડેદરા, નારણભાઈ લાવડીયા, ચમનભાઈ ચાવડા, દેવશીભાઈ મોરી, પ્રદીપસિંહ ઝાલા, નગીનદાસ નિમાવત, વિપુલકુમાર ફૂલતરિયા, વિજયદાન ગઢવી, ધવલ ભાગીયા, દેવાયતકુમાર રાઠોડ, રઘુવીરસિંહ મોરી, બ્રિજરાજસિંહ ઝાલા, રતિલાલ ગરચર, યુવરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, શૈલેષભાઇ હૈણ, હિતેશકુમાર ચાવડા, જયદેવસિંહ ઝાલા, જયેશ માણસૂરિયા, સંજયભાઈ સામતીયા અને સંજયભાઈ મૈયડની બદલી કરવામાં આવી છે.




Latest News